Can your Aadhar be Misused ? : આજ ની આધુનિક યુગમાં ઘણા લોકો સાથે ડોક્યુમેન્ટ થી અને નાણાં થી પણ સ્કેમ થાય રહ્યો છે. આવા સ્કીમ થી લોકો પાસે થી પૈસા પડાવી લેવા ની તકનીકો અપનાવતા હોય છે. ઘણી વખતે ડોક્યુમેન્ટ થી પણ આવા સ્કેમ થાય શકે છે અને આવા સ્કેમર ડોક્યુમેન્ટ નો દુરુપયોગ કરી ને બેંક એકાઉન્ટ અથવા અન્ય પ્રોપર્ટી ને નુકસાન પહોંચાડી શકે છે.
જો તમારી સાથે આ પ્રકાર ના સ્કેમ થાય તો કેવી તકેદારી રાખવી?
Aadhar Card scams : જો આ પ્રકારનો સ્કેમ તમારી સાથે થાય તો એનાથી બચવા માટે તમારે શું કરવું જોઈએ, સૌપ્રથમ તમને જાણ થાય કે તમારા ડોક્યુમેન્ટ નો દૂર ઉપયોગ થઈ રહ્યો છે. તો સરકાર દ્વારા નિશ્ચિત કરવામાં આવેલ વિભાગ માં ફરિયાદ કરવી જોઈએ. અધિકૃત અધિકારીને ચોક્કસ માહિતી આપવી જોઈએ અને ફરિયાદ કરવી જોઈએ. કઈ રીત નું સ્કેમતમારી સાથે થઈ ગયું છે . તેની જાણ કરવી તથા જે તે બાબત માટે જરૂરી દસ્તાવેજો ની કોપી જમા કરાવી અને ફરિયાદ પત્ર લખવો અને વ્યક્તિગત રીતે ફરિયાદ નોંધાવી. આ માહિતી સચોટ હોય એવી ખાતરી આપવી જેથી સરકાર દ્વારા કરવામાં આવતી સહાય માં કોઈ જાતની ખામી ના રહે.
1.તમારા આધાર કાર્ડ ઉપયોગ થઈ રહ્યો છે કે નહીં તે ચકાસવાની સંપૂર્ણ રીત
- સૌપ્રથમ તમે આધાર કાર્ડ ની ઓફિસિયલ વેબસાઈટની મુલાકાત લેવી.
- અહીં તમારા આધાર કાર્ડ ના નંબર અને કેપ્ચા ફિલ કરીને તમારા આધાર કાર્ડ નું લોગીન કરી શકો છો જેમાં તમારા આધાર કાર્ડ ની સંપૂર્ણ માહિતી દર્શાવવામાં આવે છે.
- લોગીન બાદ તેમાં આધાર ઓથેન્ટીકેશન હિસ્ટ્રી નો ઓપ્શન જોવા મળે છે તેમાં ક્લિક કરો.
- ત્યારબાદ તમારા આધાર કાર્ડ ની સંપૂર્ણ હિસ્ટ્રી એટલે કે જ્યારથી તમારું આધાર કાર્ડ બન્યું છે ત્યાંથી હાલ સમય સુધીની માહિતી તેમાં મળી આવે છે. જેમાં પ્રથમ નવું આધાર કાર્ડ જનરેટ અને સાથે કેટલી વખત અપડેશન કરાવ્યું છે તથા કોઈપણ જાતના સુધારા કરાવેલ હોય તે તેમાં બતાવે છે.
2.આધાર કાર્ડના દૂર ઉપયોગ વિશે ફરિયાદ કઈ રીતે કરવી
- આધારકાર્ડ ના રેકોર્ડ ચેક કર્યા પછી જો તમને એવું લાગે કે તમારા આધાર કાર્ડનો દૂર ઉપયોગ થઈ રહ્યો છે તો તમે ઘર બેઠા તેની તરત જ ફરિયાદ નોંધાવી શકો છો. આ માટે ટોલ ફ્રી નંબર *1947* પર કોલ કરીને અથવા help@uidai.gov.in પર ઇમેલ કરીને ફરિયાદ નોંધાવી શકો છો આ સિવાય ભારત સરકારની આધાર કાર્ડ સેન્ટર https://uidai.gov.in/gu/my-aadhaar-gu/get-aadhaar-gu.html ની ઓફિશિયલ વેબસાઈટ પર ઓનલાઇન ફરિયાદ નોંધાવી શકો છો.
- જો તમારા પરિવારમાં કોઈ વ્યક્તિનું મૃત્યુ થયું છે અને તેનો આધાર કાર્ડ રદ કરવાની કોઈ વ્યવસ્થા નથી તો મૃતક વ્યક્તિના આધારકાર્ડને સુરક્ષિત રાખવા માટે અને તેનો દૂર ઉપયોગ ન થાય તેની જવાબદારી મૃતકના પરિવારજનોની હોય છે. જો મૃત્યુ પામનાર વ્યક્તિ સરકાર દ્વારા આપવામાં આવતી કોઈ યોજનાનો લાભ મેળવતો હોય તો તેને સંબંધિત વિભાગમાં વ્યક્તિના મૃત્યુની જાણકારી આપવી જેથી યોજના માંથી તેનું નામ રદ કરી દેવામાં આવે છે.
- આ સાથે મૃતક વ્યક્તિનું આધાર કાર્ડ UIDAI ની ઓફિશિયલ વેબસાઈટ પર આધાર લોક કરી શકાય છે. જેથી કોઈ અન્ય જગ્યાએ તેનો ઉપયોગ થઈ શકે નહીં . જો આધાર લોક જાતે કરતા ન આવડે તો આધાર કાર્ડ કેન્દ્ર પર જઈને લાભ લઈ શકાય છે.
આવા સમયે હંમેશા સતર્ક રહીને ફરિયાદ કરવી જોઈએ અને સાથે જ સંજોગોને લગતા પગલાં લેવા જોઈએ. જેથી આપણા નાણા સુરક્ષિત રહે અને કોઈ જાતની સ્કીમમાં ફસાઈએ નહીં તેની કાળજી રાખવી. આવા જ પ્રકારની વધુ માહિતી માટે નજીકના કોઈપણ ગ્રાહક સેવા કેન્દ્રમાં તથા આધાર કાર્ડ ના વિભાગમાં થી માહિતી મેળવી શકાય છે અને અધિકૃત વેબસાઈટનો ઉપયોગ કરીને ઓનલાઈન માહિતી મેળવી શકાય છે અને ફરિયાદ પણ કરી શકાય છે. જે આપણી નાગરિકતા ની પ્રથમ જવાબદારી છે અને જો કોઈ અન્ય વ્યક્તિ સાથે આ પ્રકાર ની સ્કીમ થાય તો આપણે સજાગ રહીને તેમને મદદરૂપ થવું જોઈએ.
મહત્વની લીંક
UIDI ઓફિશિયલ વેબસાઈટ | અહી ક્લિક કરો |
આધાર કાર્ડનો દુરુપયોગ ફરિયાદ કરવા માટે લીંક | અહી ક્લિક કરો |