PAN Card 2.0 : ભારત સરકાર દ્વારા આવકવેરા વિભાગ ના પર્મનેન્ટ અકાઉન્ટ નંબર એટલે કે PAN નંબર આપવામાં આવેલ હોય છે. છે 18 વર્ષથી ઉપરના પુખ્ત વયના વ્યક્તિ માટે પાનકાર્ડ એક ઓળખ પત્ર તરીકે ગણવામાં આવે છે. આ પાનકાર્ડમાં આઈકર વિભાગ દ્વારા એટલે કે ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટ થી વ્યક્તિના પર્મનેન્ટ એકાઉન્ટ નંબર કાર્ડ આપવામાં આવે છે. આવકવેરા સંબંધિત કામકાજ માટે તથા બેન્કિંગ ને લગતા કામ માટે પાનકાર્ડ ની જરૂર હોય છે. જો તમે 18 વર્ષથી વધુ ઉંમર ધરાવતા હોય અને તમારી પાસે પાનકાર્ડ નથી તો તમારા ઘણા પ્રકારના કામ અટકી શકે છે. નાણાકીય વ્યવહારો ઉપરાંત ઘણા પ્રકારના કામમાં પાનકાર્ડ જરૂરી દસ્તાવેજ બની ગયેલ છે.
સૌપ્રથમ આપણે જાણીએ કે પાનકાર્ડ નો ઉપયોગ કઈ જગ્યાએ થાય છે
- જો તમે મોટા પ્રમાણમાં આવક ધરાવતા હોય તો સૌપ્રથમ આઈટી રિટર્ન ફાઇલ કરતી વખતે પાનકાર્ડનો ઉપયોગ કરવામાં આવે છે.
- બેંકમાં ખાતું ખોલાવતી વખતે પાનકાર્ડ જરૂરી દસ્તાવેજ તરીકે લેવામાં આવે છે.
- વાહનોની ખરીદી કે વેચાણ વખતે પાનકાર્ડ હોવું ખૂબ જ જરૂરી છે.
- ઘરમાં ટેલીફોન કનેક્શન લેવું હોય તો તેની માટે પણ પાનકાર્ડ દસ્તાવેજ તરીકે લેવામાં આવે છે.
- જો તમે પાંચ લાખ કે તેથી વધુ ની રકમ ના ઘરેણા ખરીદો છો તો તેમાં પણ પાનકાર્ડનો ઉપયોગ થાય છે.
- જો તમે વીમા પ્રીમિયમ ધારક હોય તો વીમો ભરવા માટે પણ પાનકાર્ડ જરૂરી છે.
- વિદેશી ચલણ, મિલકત, લોન, એફડી, રોકાણ વગેરે સમયે પણ પાનકાર્ડ હોવું ખૂબ જ જરૂરી છે.
પાનકાર્ડ નંબર નું ફોર્મેટ
પાનકાર્ડ એ નાણાકીય વ્યવહારો કરવા માટે જરૂરી છે જેમ કે બેંકમાં એકાઉન્ટ ખોલાવવું હોય, મિલકતોની ખરીદી કરવી હોય, વેચાણ કરવું હોય , ક્રેડિટ કાર્ડ મેળવવા માટે અને લોન ની અરજી કરતી વખતે પાનકાર્ડ જરૂરી છે. તમારી આર્થિક પ્રવૃત્તિઓ ને ટ્રેક કરવા માટે કરી શકાય છે.
તમારા પાનકાર્ડ નંબર ની માહિતી નીચે મુજબ સામેલ થયેલી છે.
- કાર્ડ ધારકનું સંપૂર્ણ નામ
- કાર્ડ ધારક ના પિતાનું પૂરું નામ
- પાનકાર્ડ ના નંબર છે 10 આંકડાના હોય છે જેમાં નંબરો અને મૂળાક્ષરો પણ આપવામાં આવેલ હોય છે.
- કાર્ડ ધારક ના હસ્તાક્ષર જે પાનકાર્ડ ધારક ના વેરિફિકેશન તરીકે કાર્ય કરે છે જે પોતાના આર્થિક વ્યવહારો માટે આવશ્યક છે.
- કાર્ડ ધારક નો પાસપોર્ટ સાઇઝ ફોટો જે વ્યક્તિગત પાનકાર્ડ નું વિઝ્યુઅલ વેરિફિકેશન તરીકે કાર્ય કરે છે. હે દર્શાવે છે કે વ્યક્તિએ કોઈ જાતનું કંપની સાથે કે અન્ય કચોરી સાથે જારી કરેલા પાનકાર્ડ નો ઉપયોગ કરેલ નથી.
- કાર્ડ ધારક ની જન્મ તારીખ.
- ભારત સરકારનો હોલોગ્રામ અને આઈકર વિભાગ એટલે કે આવકવેરા વિભાગ નો ટેગ. આ બધી જ માહિતી પાનકાર્ડમાં સમાવેશ કરવામાં છે. જે તમારી ઓળખ દર્શાવે છે.
પાનકાર્ડ માટે કોણ અરજી કરી શકે છે?
- તમામ વ્યક્તિ છે ભારત દેશની નાગરિકતા ધરાવતા હોય અને કરદાતા એટલે કે જેમની આવક આવકવેરાની મર્યાદાથી વધી જાય છે તે તમામ વ્યક્તિ માટે પાનકાર્ડ હોવું જરૂરી છે.
- નાણાકીય વ્યવહારો કરવા માટે પાનકાર્ડ જરૂરી દસ્તાવેજ છે.
- વ્યવસાય અને વ્યવસાય ધરાવતા વ્યક્તિઓ જે પાંચ લાખ કે તેથી વધુ આવક ધરાવતા હોય તેની માટે પાનકાર્ડ હોવું જરૂરી છે.
- રાજ્યના વેચાણ કર કાયદા અને કેન્દ્રીય વેચાણકર અધિનિયમ હેઠળ નોંધાયેલ વ્યક્તિઓ પાસે પાનકાર્ડ હોવું જરૂરી છે.
- નિયમ 57 એઈ મુજબ બિલ જારી કરનાર વ્યક્તિઓ માટે પાનકાર્ડ હોવું જરૂરી છે.
- આ સિવાય ટીડીએસની આવકમાંથી કપાત થયા પછી કર રીટનનો દાવો કરવા માંગતા હોય તો તે યોગ્ય વ્યક્તિ માટે પાનકાર્ડ જરૂરી છે.
- આયા તને નિકાસમાં સંલગ્ન થયો સંસ્થાઓ માટે પણ પાનકાર્ડ હોવું જરૂરી છે.
- કંપની અધિનિયમ હેઠળ રજીસ્ટર થયેલી કંપનીને પાનકાર્ડ કરાવવું જરૂરી છે.
- ભારતમાં કરપાત્ર આવક ધરાવતા એન આર આઈ માટે પણ પાનકાર્ડ હોવું જરૂરી છે.
- ભારતમાં ફાઇનાન્સિયલ ટ્રાન્જેક્શન કરવાની યોજના ધરાવતા વિદેશી વ્યક્તિઓ પણ પાનકાર્ડ માટે અરજી કરી શકે છે.
પાનકાર્ડ શા માટે આટલું મહત્વપૂર્ણ દસ્તાવેજ છે?
- બેન્કિંગ સેક્ટરમાં પાનકાર્ડ એ ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. બેંકમાં ખાતું ખોલાવવા માટે કે અન્ય બેન્કિંગ પ્રવૃત્તિઓમાં પાનકાર્ડ આવશ્યક દસ્તાવેજ છે. હવે ફાઈનાન્સિયલ ટ્રાન્જેક્શન ને ટ્રેક કરવા માટે તથા છેતરપિંડી અને મની લોન્ડીરીંગ ની પ્રવૃત્તિઓ અટકાવવા માટે પાનકાર્ડ જરૂરી છે. ખાસ તો કોઈપણ વ્યક્તિ રૂપિયા 50,000 થી વધુ થાપણ માટે પાનકાર્ડ જમા કરાવવાની જરૂર પડે છે અને જો રકમ ડિપોઝિટ એટલે કે ફિક્સ ડિપોઝિટ બુક કરાવવું હોય તો પાનકાર્ડનું સબમીશન જરૂરી છે.
- ક્રેડિટ કાર્ડ અથવા ડેબિટ કાર્ડ માટે અરજી કરવી હોય તો પાનકાર્ડ ની કોપી આપવી આવશ્યક છે.
- જો તમારે કોઈ પ્રકારની લોન ની એપ્લિકેશન ચાલુ કરવા અથવા લોન પૂર્ણ કરવા માટે પાનકાર્ડ હોવું જરૂરી છે.
- પ્રોપર્ટીના ખરીદ વેચાણમાં પણ પાનકાર્ડ ફરજિયાત છે તે તમામ પ્રકારના પ્રોપર્ટી ને લગતા વ્યવહારો માં ખરીદનાર અને વેચનાર બંનેના પાનકાર્ડ ની વિગતો દર્શાવી જરૂરી છે.
- જ્વેલરી ની ખરીદીમાં રૂપિયા પાંચ લાખ કે તેથી વધુ મૂલ્ય માટે પાનકાર્ડ હોવું જરૂરી છે.
- પોસ્ટ ઓફિસમાં 50000 કે તેથી વધુ નાણાંને ડિપોઝિટ માટે પાનકાર્ડ સબમીટ કરવાની જરૂર પડે છે.
- વાહન ખરીદવા અને વાહનોના વેચાણ માટે પણ પાનકાર્ડ ની માહિતી આવશ્યક છે.
- ઇન્સ્યોરન્સ ના પ્રીમિયમમાં નાણાકીય વર્ષમાં ચુકવણી કરવા માટે પાનકાર્ડ સબમીટ કરવું જરૂરી છે.
- વિદેશી ચલણ ના ટ્રાન્જેક્શન માટે પાનકાર્ડ જરૂરી છે.
- રોજગાર મોટાભાગના નોકરીયાત ના પગારને એકાઉન્ટિંગ અને કર પ્રક્રિયા માટે પાનકાર્ડ ની જરૂર પડે છે.
પાનકાર્ડ ના લાભો
- ઓળખના પુરાવા તરીકે
- આઈટી રિટર્ન ફાઇલ કરવા માટે
- કરવેરા ના કપાત માટે
- વ્યવસાય શરૂ કરવા માટે
હાલ સરકાર દ્વારા પાનકાર્ડ 2.0 પ્રોજેક્ટ ની મંજૂરી આપવામાં આવી છે. જેનો હેતુ પાનકાર્ડના ઉપયોગને વધુ સુરક્ષિત બનાવવાનો છે. આ પાનકાર્ડ દ્વારા વ્યક્તિના ઓથેન્ટિકેશન ને સરળ બનાવવાનો હેતુ છે. નવા પાનકાર્ડમાં ક્યુ આર કોડ આપવામાં આવે છે જેથી તે સરળતાથી સ્કેન થઈ શકે છે. જે હાલ અત્યારે ઘણા નવા પાનકાર્ડ ધારકો પાસે આ રીતના પાનકાર્ડ આવેલ હશે. તો તમારે કોઈ જાતનું ચિંતા કરવાની જરૂર નથી. જે વ્યક્તિ પાસે આવા ક્યુઆર કોડ વાળા પાનકાર્ડ ના હોય તો ફક્ત પાનકાર્ડને અપડેટ કરાવવાનું રહેશે. જેથી સરકાર માન્ય પાનકાર્ડમાં તમારો ક્યુ આર કોડ છપાઈને નવું પાનકાર્ડ આપવામાં આવશે.
પાનકાર્ડ 2.0 માટે અરજી કરવામાં નીચે આપેલી લીંક પર ઇન્સ્ટન્ટ e પાનની સુવિધા દ્વારા મેળવી શકાય છે. જેમાં તમે પાનકાર્ડ અને આધારકાર્ડ જેવી માહિતી ને ઓટીપી દ્વારા પૂર્ણ કરીને નવું ક્યુઆર કોડ વાળુ પાનકાર્ડ મેળવી શકો છો જે પીડીએફ રીતે સિક્યોર પાસવર્ડથી ડાઉનલોડ થાય છે. આવા પાનકાર્ડ નો ઉપયોગ બાયોમેટ્રિક અને આધાર એકીકરણ ની ઓળખ ને કોઈ જાતનો દુર ઉપયોગ ન થાય તેની માટે કરવામાં આવે છે. અને સાથે જ ટેક્સ ભરવામાં પણ સરળ રૂપ રહે છે.
મહત્વની લીંક
Pan card international Website | Click here |
Pan card Re- print | Click here |
Income tax E Filling | Click here |
આ પણ વાંચો : PAN Card Apply Online : નવું પાનકાર્ડ માટે કઈ રીતે અરજી કરવી ; જાણો સંપૂર્ણ પ્રોસેસ